Sunday, June 7, 2009

સ્ત્રીઓની વ્યથા

હમણા બે દિવસ પહેલા મારે અચાનક જ મુંબઇ જાવાનુ થયુ.અને મુંબઇ ની લોકલ મા સાંજ ના સમયે સફર કરવી ઍ ઍક બહુ હિંમત નુ કામ છે.પાછા આવવાના સમયે ખુબ જ ભીડ હતી. પણ કોઇક પુણ્ય કામ લાગી ગયા ને મને શાંતિ થી ઉભા રહેવા મલી ગયુ.બાજુ મા બે મરાઠી ભાષા માં વાત કરવા વાળા બહેનો ઉભા હતા અને ટ્રેન ચાલુ થઇ. અને એમની વાતો ચાલુ થઇ.ન સાંભળવા ની ઇછ્છા હોય તોય બહુ વાર બહુ બધુ સાંભળાવુ પડ્તુ હોય છે. એ લોકો મરાઠી માં બોલતા હતા પણૂ હુ ગુજરાતી માં લખુ છુ."અરે સારુ થયુ આજે મને આ ટ્રેન મલી ગઇ. આજે હુ પંદર મિનિટ વહેલી ઘરે પહોચીસ્. "" સવારથી નિકળ્યા હોઇયે હવે ઘરે જઇને પાછુ કામ કરવુ પડે બહુ થાકી જવાય છે.અને પાછા ઘરે પહોચસુ એટ્લે વર નુ સાંભળવાનુ."તો બીજા બહેન એ કહ્યુ કે "તુ કમાય છે. પછી તારે સાંભળવાનુ શુ કામ?"તો કહે "જાવા દે ને આ વાત નો કંઇ અંત નથી."ત્યા ઘાટ્કોપર આવી ગયુ અને મારે ઉતરવા નુ હતુ એટ્લે હુ આગળ ગઇ.ત્યા મારી પાછાળ એ બહેન પણ ઉતર્યા.મે એમને કહ્યુ, "તમારે EAST આવવુ હોય તો હુ તમને ઉતારી દઉ."તો કહે "ના બહેન હુ તો કાંજુર માર્ગ રહુ છુ હવે અહિયા થી SLOW TRAIN માં જઇશ. "મને એમ થયુ હુ તો પડી જ જાઇશ.ઘરે આવીને પણ એમની વાતો મગજ માં થી જાતી ન હતી.કે બહેનો કેટ્લુ પણ કામ કરે કેમ એના કામ ની કદર નથી થાતી.ક્યારે સમજશે પુરુષો સ્ત્રીને? આખોદિવસ કામ કરીને આવે ત્યારે પણ ઍના મગજ ના એક ખુણા માં ચિંતા હોય કે ઘરે જાઇશ ત્યારે કેવો હશે વર નો મુડ?ઘર માં સવાર ના દુધ ગરમ કરવા થી કરી ને રાત ના દુધ ગરમ કરવા સુધી ના કામ જો શાંતી થી ઍક દિવસ પણ પુરુષો સંભાળી આપે તો જ એમને ખબર પડૅ કે શાંતી થી હસતા મોઢે જુલ્મ સહેન કરવો કેટ્લો આકરો છે.

નવી દિશા

"દીકરીઓ કયારે મોટી થઇ જાય છે ઇ ખબર નથી પડતી. જાણૅ કાલે જન્મી હતી આપણી મીતા।. અને જો તો આજે માંગા પણ આવવા લાગ્યા."પ્રભુ દાસ ભાઇ એ પત્ની વનિતા ને કહ્ય. વનિતા એ જવાબ આપ્યો કે " બધાની દીકરીઓ મોટી થાય છે અને બધાની દીકરી ઓ સાસરે જાય છે. હવે તમે જલ્દી થી બજાર માં જાવ અને તમારા મિત્ર ની સાથે વાત કરીને નક્કી કરજો કે એમના દીકરા નુ અને મીતા નુ જોવાનુ ક્યારે ગોઠવવુ છે." જ્યારે પણ દીકરી વળાવવા ની હોય ત્યારે ઍક પિતા ઢીલો પડી જાતો હોય છે અને માતા મજબુત થઇ જાતી હોય છે.પ્રભુદાસ ભાઇ ની મીતા અને એમની બજાર માં સાથે કામ કરતા એમના જ મિત્ર શીવરામ ભાઇ નાં દીકરા મંયક સાથે વાત ચાલી હતી.શીવરામ ભાઇ ની ઇછ્છા હતી કે એમની દોસ્તી સંબધ મા ફેરવાય.પ્રભુસદાસ ભાઇ બજાર માં પહોચ્યા અને શીવરામ ભાઇ એ સામે થી જ કહ્યુ કે આપણૅ શનીવાર નુ જોવાનુ ગોઠવીયે.ઘરે જઇ ને પ્રભુદાસ ભાઇ એ બધી વાત કરી. અને બધા નાં મગજ પોતપોતા ની રીતે વીચારો કરવા લાગ્યા. પ્રભુદાસ ભાઇ વીચારતા હતા કે શુ રોજ મળવા વાળા મિત્ર વેવાઇ બનશે? શુ મારી દીકરી એમને ત્યા સુખી થાશે? વનિતા બેન તો વિચારવા લાગ્યા કે કઇ ખરીદી ક્યાં થી કરશુ? અને મીતા વીચારતી હતી કે માન્યુ MBA છે પણ સ્વભાવ કેવો હશે?આજે શનીવાર આવી જ ગયો. બધા ની ધડકન તેજ હતી કે શુ થાશે?ત્યા જ શીવરામ ભાઇ નો ફોન આવ્યો કે "પ્રભુદાસ એક વાત કહેવી હતી. અને પ્રભુસદાસ ભાઇ ને એમ થયુ કે એ શ્વાસ ચુકી જાશે. કદાચ બધી દીકરી ઑ નાં માતા પિતા ની આવી જ હાલત હોતી હશે. ત્યા શીવરામ ભાઇ બોલ્યા કે મારા દીકરા ની ઇછ્છા છે કે એ મીતા ને એકલા માં મલવા માંગે છે.પ્રભુદાસ જમાનો બદલાણૉ છે તો આપણે પણ ઍની સાથે જ ચાલવુ પડશે." પ્રભુદાસ ભાઇ એ ઘર માં પુછી ને બધા ની સંમતી થી હા પાડી અને સાંજ નુ શહેર ની સારા માં સારી હોટૅલ માં મલવાનુ નક્કી થયુ.મયંક સમય નો બહુ ચુસ્ત હતો. એ મીતા ની પહેલા જ ત્યા પહોંચી ગયો હતો . બન્ને જણ હોટૅલ માં ગયા પાંચ દસ મિનિટ તો કોઇ કાઇ બોલ્યુ નહી . આખરે મંયકે વાત ચાલુ કરી કે " મીતા આપણા બન્ને નાં પપ્પા સારા મિત્રો છે . કદાચ જો આપણૂ નક્કી નહી થાય તો એમને બહુ દુઃખ થાશે . પણ વધારે વાત કરીયે એની પહેલા હુ તને જણાવી દઉ કે મારી એક શર્ત છે. જો તને મંજુર હોય તો જ આપણા લગ્ન થઇ શકશે." મીતા ચુપચાપ સાંભળતી હતી. મંયક આગળ બોલ્યો " મીતા હુ થોડો બધા થી અલગ છુ. મે એવુ નક્કી કર્યુ છે કે હુ લગ્ન પછી બાળક નહી કરુ." મીતા ને એમ થયુ કે જાણે એના પગ નીચ્ચે થી જમીન સરકી ગઇ.ત્યા મંયક બોલ્યો " એવુ નથી હુ બાળક કરવા અસર્મથ છુ. પણ દુનિયામાં બહુ બધુ છે કરવા માટૅ તો આપણૅ એ કરશુ.જો તને મંજુર હોય તો મને કહેજે નહી તો બધા ને કહી દેજે કે મને મંયક પંસદ ન પડ્યો." ત્યારે તો હસી બોલી ને બન્ને જણા છુટ્ટા પડ્યા.મીતા જેવી ઘરે આવી માતા પિતા કાગ ડોળૅ રાહ જોઇ ને બેઠા હતા.તરત મમ્મી એ પુછ્યુ" શુ થયુ મીતા? તને મંયક ગમ્યો ક નહી? મીતા એ જવાબ આપ્યો "એક દિવસ વીચારવા માટૅ આપો કાલે કહુ છુ." પાછળ થી પપ્પા નો ગુસ્સે થાવા નો અવાજ આવ્યો પણ એ કેમ સમજાવે કે એની અંદર કેવુ તોફાન ચાલી રહ્યુ હતુ.સવાર પડી અને વનિતા બેન મીતા ની પાસે આવી ગયા અને પુછ્યુ "કે શુ વીચાર કર્યો. તારા પપ્પા ને કામ પર જાવાનુ છે અને ત્યા જાશે એટલે એમણૅ ત્યા જવાબ આપવો પડશે." મીતા એ કહ્યુ "હુ મંયક ને હજી એક્વાર મલવા માંગુ છુ . અને આ સાંભળી ને તો વનિતા બેન ખુબ જ ગુસ્સે થઇ ગયા કે "શુ નાટક માંડયુ છે આ બધુ" પણ મીતા ચુપ જ રહી.પપ્પા બજાર માં ગયા અને હજી તો એઓ પહોચ્યા હશે અને વાત કરી હશે ત્યા તો ફોન આવી ગયો કે"મીતા ને કહેજે કે મંયકે આજે સાંજે છ વાગે જુહુ પાસે બોલાવી છે."સાંજ પડી મીતા જુહુ પર પહોચી. મંયક ત્યા હાજર જ હતો. બન્ને જણા દરિયા કિનારે જઇ ને બેઠા. મીતા ને ખબર નહોતી પડતી કે એ કેવી રીતે શરુઆત કરે.આખરે મંયકે પુછ્યુ" શુ વાત છે મીતા,મને આજે મલવા બોલાવ્યો. શુ પુછવુ હતુ તારે?"મીતા એ જવાબ આપ્યો" મંયક કાલ રાત થી અત્યાર સુધી મે બહુ બધા કારણૉ ગોતી જોયા પણ મને મલતુ નથી કે પોતાનુ બાળક ન કરવાનુ કારણ શુ?" મીતા આગળ બોલવા જાતી હતી ત્યા એક પાંચ છ વર્ષ નુ બાળક ત્યા આવ્યુ અને કહેવા લાગ્યુ"આંટી મને બહુ ભુખ લાગી છે. મને કાંઈ ખવડાવો ને" મીતા નુ હ્રદય પીગળી ગયુ અને ત્યા મંયક બોલ્યો " જા મીતા એને કંઇક ખવડાવી આવ આપણૅ પછી વાત કરશુ"મીતા એ બાળક ને લઈ ને એક રેકડી પર ગઈ અને ત્યા એની માટૅ જમવાનુ લીધુ. અને જેવુ એ બાળક ને આપ્યુ બાળક જાણે જમવા પર ટુટી પડ્યો. અને મીતા એને જ જોતી ઉભી રહી ગઈ.ઍ બાળક નુ જમવાનુ પત્યુ એટ્લે મીતા જાવા લાગી . ત્યા એ બાળક પાછો મીતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો" આંટી, મારી બેન માટૅ લઈ આપશો?' મીતા એ એની બેન માટૅ પણ લઈ આપ્યુ. ત્યા પાછો એ બાળક બોલ્યો" આંટી તમે કાલે આવશો ને?" મીતા એ કહ્યુ "મારુ નક્કી નહી " તો બાળક રડવા લાગ્યો કે "તો મને કાલે પાછા ભુખ્યા રહેવાનુ" મીતા ને એમ થયુ જાણે એ હમણા જ રડી પડશે.એ ત્યાથી મંયક બેઠો હતો ત્યા આવી ગઈ. અને મંયક ની બાજુમાં બેસી ગઈ.મંયકે મીતા ની સામે જોયુ પણ મીતા નાં મગજ માં થી ઍ બાળક નીકળતો જ હતો.આખરે મંયકે પુછ્યુ " શુ થયુ મીતા કેમ આટલી ચુપ થઈ ગઈ." મીતા એ બધી વાત કરી.અને મીતા એ કહ્યુ કે "મંયક કાલે એ બાળક નુ શુ થાશે? એ શુ જમશે? અને કદાચ હુ અહિયા એની માટૅ આવુ તો પણ આ માનવ નામના દરિયા માં એને હુ ક્યા શોધીશ?તો મંયકે કહ્યુ " હવે તને તારો જવાબ મલી ગયો હશે કે હુ બાળક શુ કામ કરવા નથી માંગતો.અને એટલે જ મે તને આજે અહિયા બોલાવી કે તને ખબર પડૅ કે દુનિયા માં પોતાના ઍક બાળક પાછળ આખ્ખી જીદગી આપણે પુરી કરીયે છૅ.પણ મીતા આવા કેટલા બાળકો છે કે જેમને એમના માતા પિતા એ જન્મ તો આપી દીધો છે પણ એ બાળકો ભુખ્યા સુઈ જાય છે કે એમની શુ હાલત છે એ જોવાની પણ એમને પડી નથી. તો શુ આપણૅ આ બધા બાળકો નાં માતા પિતા ન બની શકિયે. તુ આરામ થી વિચારજે અને પછી મને જવાબ આપજે. મને કાંઈ ઉતાવળ નથી. પણ આપણૅ સારા friends બની ને આ કામ સાથે મલી ને કરશુ . "અને મંયક ઉભો થયો કે "ચલ હવે છુટ્ટા પડશુ?" અને મીતા પણૂ ઊભી થઈ. હજી ઍનુ મગજ શાંત ન હતુ. એના મગજ માં એક બાજુ એ બાળક ની વાતો અને બીજી બાજુ મંયક ની વાતો જ ચાલતી હતી. ચાલતા ચાલતા પાછો મંયક બોલ્યો " મીતા આપણ વડિલો, મિત્ર છે એટ્લે આપણૅ હા પાડવી જ પડૅ ઍવી કાંઇ ચીંતા ન રાખતી."મીતા એ કાંઈ જવાબ ન આપ્યો એ વિચારતી હતી કે આવા વ્યકતી ને ના પાડ્વી ઍનાથી મોટી કોઇ ભુલ જ નહી હોય્ અને એણૅ કાંઈ પણ જવાબ આપવાની બદલી માં ચુપચાપ મંયક ના હાથ માં પોતાનો હાથ આપી દીધો. મંયકે હસી ને મીતા સામે જોયુ . મીતા ને એમ લાગતુ હતુ ક જાણૅ ઍ કોઈ નવી દિશા માં આગળ વધી રહી છે.

ચુંદડી

અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબધ.
મને તો એમની સાથે એટલુ ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભોજાઈ કહે.
અને મને એ સંબધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.
ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં. પણ વધારે પડતુ એ અમારી મજાક મસ્તી થી દુર જ રહેતા અને અમને એ ગમતુ. મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવુ કોઈ મલે તો મને ગમવાનુ જ ને.
મીરા ભાભી પણ વધારે મોટા ન હતા. એ બહુ વાર મને કહેતા કે મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ. હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.
દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણૉ મુડ પારખી લે. અને એમની પાસે બેસીયે એટલે દુઃખ તો ભુલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણૅ વ્યસન થઈ ગયુ હતુ.
હવે એમને બાળક આવવાનુ હતુ . તેઓ એટલા ખુશ હતા કે બસ.ક્યારેક હુ મજાક માં પુછી લેતી ભાભી મને ભુલી નહી જાવને. તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભુલુ." અને આ એ એવૂ લાગણી થી ભરી ને બોલતા કે મારુ મન ભરાઈ આવતુ.
મને એમ થાતુ કે આ જો મારા સગ્ગા ભાભી હોત તો કેટલુ સારુ થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.
હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવુ પડૅ એમ હતુ. અમારા મસ્તી મજાક થી દિવસો પસાર થાતા હતા. એ એમનાં બધા સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.
એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટ્લી ખુશ હતી ને કે હમણા થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનીયા.
ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે. હુ તો સાવ ભાંગી જ પડી. મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ? હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલા બધા સપનાં ઓ લઈને.
DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ. મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફક્ત એટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા. મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.
હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતૉ. આપણૅ કેટલા ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયા હતા.
આ બધી વાતો માટે બધાને મતે હુ ખુબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુઃખ હતુ. એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યા આજે એ મ્રુત અવસ્થા મા સુતા હતા.અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.
ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જાવાની જલ્દી લાગી છે બધાને. નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમમનાં પર.
ભાભી ને સજાવામાં આવ્યા.હવે એમને લઈ જાવા માટે બધા એમની નજીક આવ્યા. અને હુ એમને છેલ્લી વાર ભેંટી ને ખુબ રડી.
હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડૉ બાંધ્યો.મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધુ જોતી હતી.આખરે ભાભી ને લઈ જાવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.
પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે આ બધુ શુ હતુ. દરવાજા પર બાંધવાનુ.તો મમ્મી કહે કે નવીન ભાઈ ને બીજી વાર પરણવાનુ છે એ જાહેર કર્યુ. અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયા.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટૂ થાતુ હતુ.
અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા. એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણૅ મને એમની સાથે ઓણખાણ કરવા બોલવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ, નવીન ભાઈ નાં બીજા પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી. મને મીરા ભાભી યાદ આવી જાતા.
જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા ત્યાર્થી નવીન ભાઈ મારી સાથે નજર મલાવી ને જોતા જ નહી. બપોરનો સમય હતો. હુ મારુ ભણતી હતી.ત્યા અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયા.એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનુ હતુ.એમનુ બાળક.
હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો. અને કહ્યુ "મારી સખી નહી બને?" હુ ટસ ની મસ ન થઈ. તો એમણૅ કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ બાળક ને મોટૉ કેવી રીતે કરત? કોણ કેટલા દિવસ સાચવત. તને ખબર છે, એમણૅ મારી સાથે શર્ત મુકી ને લગ્ન કર્યા છે કે આપણૅ બીજુ બાળક નહી કરીયે."
અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેંટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયા. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.
હવે તો તેઓ કયાં છે એ પણ મને ખબર નથી કારણ નવીન ભાઈ ની કામ માં બદલી થાતી રહે છે . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યુ એણૅ બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવ્તો હતો કે ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તિ છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુઃખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .
ચાલો ૮ મી માર્ચ પતી ગઈ॥ સ્ત્રી ઓ નોં દિવસ પતી ગયો ...કેટલાં એ મનાવ્યો॥ કેવી રીતે મનાવ્યોં॥ એમાં નથી પડવુ॥પણ આખા વર્ષ માં આપણે બધા માટે એક એક દિવસ રાખ્યો છે...પપ્પા નોં દિવસ ।વિધ્યાર્થી નો દિવસ, ...અને એવા બહુ બધા દિવસો...આ બધી રીત મને તો સમજાતી જ નથી॥પણ છતાં હુ મનાવું ખરી॥એમાં ના નહીં।એ દિવસે મે જે અનુભવ્યુ એ આજે લખું છુ..કારણકે જો એ દિવસે લખત તો મને જ ન ગમત...બહાર નીકળી..શાક લેવા..રસ્તા પર જાતી હતી ત્યાં ચટાક કરીને અવાજ આવ્યો..અવાજ ની દીશા તરફ જોયુ...તો કોલેજ માં ભણતાં છોકરા છોકરી દેખાણા..એમાં છોકરી રડતી હતી..અને છોકરો બુમો પાડતો હતો..અને ત્યાં બીજી ઠોકી..અને છોકરી કાંઇ બોલતી ન હતી..ખાલી પોતાને બચાવવાનોં પ્રયત્ન કરતી હતી..બધા તમાશો જોતા હતા।ત્યાં એક હવાલદાર ઉભો હતોં, મે એને કહ્યુ ભાઈ ઉસ્કો છુડાઓ..તો કહે આપ છુડાઓ નાં..એટલે નીતા બેન એ જપ્લાવ્યું..એ બન્ને પાસે ગઈ...અને કહુ કે ભાઈ શું તકલીફ છે?તુ મારે છે શું કામ? તો છોકરો કહે તમે કોણ છો વચ્ચે બોલવાં વાળા...મે કહ્યુ તુ રસ્તા પર એને મારે છે મને દેખાય છે અને તોય હુ ચુપ રહુ..એ મારાથી નહી થાય..પછી એ છોકરી ને પુછ્યુ કે આ મારે છે તોય તુ કાંઇ બોલતી નથી..અને માર ખાય છે પાછું... તો મને કહે કે આંટી તમે જાવ ને..ી મારો boy friend છે। અને મે એને બધો હક્ક આપીયો છે..મે કહ્યુ મરો બીજુ શું? મે એને પુછીયુ કે દીકરી તને ખબર છે આજે woman's day છે...અને તુ તારા પોતાને હાથે જ તારુ અપમાન કરાવે છે....તો છોકરો ભડક્યો..તમે જાવ ને આંટી..તમને શું છે? આ અમારી વાત છે ..તમે વચ્ચે બોલો જ શું કામ છોં?મે જરા ગુસ્સે થી છોકરી સામે જોયું અને કહ્યુ..આની સાથે પરણતી નહી ..નહીતોં જીદગી ભર માર જ ખાઈશ્।અને હુ વધારે કાંઇ કહુ એની પહેલાં એ લોકો રિક્ષા માં બેસીને ચાલ્યા ગયાં।------------------------------------------------------------------- વર્ષો પહેલાં ની એક friend મલી અચાનક જ॥પીયર માં સાથે રહેતાં॥પછી મમ્મી લોકો એ ઘર બદલાવ્યુ॥અને મુલાકાત બંધ થઈ॥મારા પહેલા એનાં લગ્ન થયાં હતાંખુબ આંનદ થયો... મે પુછ્યુ"શું બચ્ચાઓ છે? તો જવાબ આપ્યો"બે છે અને બન્ને ભણે છે..ખુબ સરસ રીતે...મે કહ્યુ સારુ..અને વરજી નુ શેનું કામકાજ છે? તો કહે "વરજી ગયાં ઉપર..હવે અમે ત્રણ જણા જ છીયે..મને અફસોસ થયો..મારા જેટલી ઉંમર એની..૪૦ ની આસપાસ.. અને આટલુ જલ્દી આવું થાય..મને દુઃખ થયું..અને મારા ચહેરા પર દુ;ખ જોઈને એ કહે અરે મને દુ;ખ નથી એટલુ તો તને દુ;ખ થયુ સાંભળીને..મે કહ્યુ ના રે તુ કેવી રીતે બધુ સંભાળે છે?તો કહે અરે પૈસા ની તો ચીંતા નથી.બહુ બધુ મુકીને ગયા છેં..પણ મે કહ્યુ તોય એમની ખોટ તો લાગતી હશે ને..પછી એ જરા ગંભીર થઈ..મને કહે'જો નીતા જે જીવતાજીવ આપણો હોય જ નહી એ જીવે કે મરે એની માટે શું અફસોસ..લેણા દેણી હતી એ પુરી કરી..અને એ ગુજરી ગયા..તો પત્યું..ચલ હુ તને મારી આખી વાત કહું. અને અમે બન્ને હોટેલ માં બેઠાં.અને એ ણે વાત ચાલુ કરી..મને કહે'જો નીતા, એમની સાથે પરણી ત્યારે મેં એમને મારુ સર્વ સમર્પણ કરી દીધુ..એક બાળ્ક એક જ વર્ષ માં થઈ ગયું..પણ પછી ખબર પડી કે એમને બીજી સ્ત્રી ઓ પાસે જાવાની આદત છે..ધીમે ધીમે એ રોજ મોડા આવવા લાગ્યાં..થોડોક વખત મે બુમો પાડી..પણ એણે કહી દીધુ કે મને એનાં વગર ચાલસે નહી..તો તારે જીવવું હોય મારી સાથે તો જીવ નહીતો તારો રસ્તો પકડી લે... મને ખબર હતી કે હવે કાંઈ ન થાય.એક બાળક થઈ ગયુ હતું હવે એની જિંદગી માટે ચલાવે જ છુટકો...અને હુ એની સાથે જીવતી હતી...બીજી સ્ત્રી ઓ સાથે સાથે એને દારુ નુ વ્યસન પણ એટલુ જ થઈ ગયુ હતુ...અને શરીર ખલાસ કર્યુ..હોસ્પીટલ માં હતો ત્યારે એની બીજી સ્ત્રી પણ ત્યાં બેસવા આવતી હતી..મેં પુછ્યુ તારાથી સહેન કેમ થયું એ સ્ત્રી નું બેસવું..તો કહે નીતા એમાં એ સ્ત્રી નોં શું વાંક?એની તો જરુરત હતી પણ મારા વર એ એની જરુરત નોં ફાયદો ઉપાડ્યો હતો...એટલે મને કોઈ અફસોસ નથી એમનાં મરવાનોં..તો તુ પણ જીવ ન બાળતી..ઠીક છે ને ..મને અચરજ પણ થાતું હતું અને ખુશી પણ કે એક સીધી સાદી છોકરી ને સંજોગો એ કેવી મજબુત કરી નાંખી હતી..મે એને પુછ્યું બીજા લગ્ન કરવાનાં વિચાર છે?તો કહે નાં રે હવે શું?માંડ એક માં થી છુટી છું એમાં હવે બીજા માં ક્યાં ફસાવુંઅને અમે સ્ત્રી ઓ નોં દિવસ મનાવ્યોં..અને છુટ્ટા પડ્યાંઆજે ને આજે બે અલગ અલગ પ્રસન્ગ જોયાં...ખબર નહોતી પડ્તી કે શું વીચારુ???હજી આવા બહુ બહેનોં સાથે વાત કરી છે એ પણ લખીશ..પણ હવે પછી ના post માં
આપણે બહુ વાર સાંભળીયુ છે , બહુ બધા લોકો પાસે થી કે ...લાગણી ઓ ને વાચા ન અપા।મન માં હોય એ બધુ ન બોલાય...બહુ સારુ ન થવાય...બહુ સાચ્ચુ ન બોલાય...થોડુ સહેન કરતા સિખાય...થોડુ ચુપ રહેતા સિખાય...થોડુ ભાર માં રહેતા સિખાય... આપણા થી લોકો ડરે એવો સ્વભાવ રખાય॥ બહુ પડી ન જવાય॥ બહુ પ્રેમ ન બતાડાય...મને ખબર નથી પડતી કે શું સાચ્ચુ અને શું ખોટુ।?શું કામ લાગણી ઓ ને વાચા ન અપાય????????મને એ જ નથી સમજાતુ અગર તમને કોઈ ગમે છે કે, તમે કોઈ ને પંસદ કરો છો તો શું કામ ન કહેવાય????...શું કામ જે તમારા મન માં છે એ ન બોલાય????શું કામ તમને જે ન ગમે એ બાબત માં પણ તમે કાંઇ નથી બોલતા???....મન માં હોય એ કેમ ન બોલાય?????સાચ્ચુ શું કામ ન બોલાય????આમ આપણે બુમો પાડી ને પોતાનાં હક્ક માટે જગડતા હોઈયે છીયે છે...પણ આપણે આપણા સાથી સાથે પણ હક્ક માટે લડીયે છીયે છે???થોડુ ચુપ રહેતા સિખાય, શું કામ????આપણને જે મન માં આવે એ આપણને બોલવાનોં હક્ક છે॥તો શું કામ ચુપ રહેવાનું?????મને નથી સમજાતુ...થોડુ ભાર માં રહેતા સિખાય,....શું કામ સિખાય????????મને નથી સમજાતુ...હસતા રહેવામાં વાંધો શું છેં॥ મે બહુ બધા એવા ચહેરા જોયા છે કે જેમણે હસવા માટે પ્રયત્ન કરવો પડે॥ આમ એ હસે તો એમ થાય કે જોઈ આવીયે કે સુરજ બરોબર ઉગ્યો છે કે નહી...દુનીયાં આપણાથી ડરે એવો સ્વભાવ રખાય..પણ શું કામ??એ તો સૌથી મોટુ પાપ છે કે આપણા થી કોઇક ડરે...અરે એવુ થાવુ જોઇયે કે આપણા પ્રેમ ની અસર એવી હોય, કે આપણા બચ્ચાઓ પ્ણ આપણાથી ડરે નહી॥આપણા પ્રેમ નાં લીધે તેઓ એવુ કોઇ કાર્ય કરે જ નહી કે જેનાથી આપણને શરમાવુ પડે....પણ બસ બધુ પ્રેમ થી જ જીતી લેવાય... હુ મારા બ્લોગ માં લખુ છુ જે વાતો એની માટે બહુ બધી વાર મને mail આવે કે તમને શું પંચાત????ઓળખીતા ઓ કહે તો તેઓ મારા સારા માટે કહે છે કે આ સ્વભાવ ને હિસાબે હુ કોઇક દિવસ મુશ્કેલી માં પડી જાઈશ એટલે કહેતા હોય છે કે શું કામ દુનીયા આખાની પંચાત કરે છે ?????????પણ હુ ચુપ નથી રહી શક્તી...હુ શું કરુ॥??? અને એ બધુ બ્લોગ પર લખવાનું કારણ એક જ કે plsssssss ગાંધારી બનવાનું બંધ કરો....કે આપણા થી મોટા જો ચુપ છે આને પટ્ટી બાંધી ને બેઠા છે તો આપણે પણ ચુપ જ રહેવાનુ????ના ન રહો ચુપ॥ધીમે ધીમે દુનીયા બદલાશે॥ હમણા ની જ એક વાત કહુ તો,મારા એક ઓળખીતા, મારા બહુ પંસદીદા બેન, અને લગભગ ૫૫ વર્ષનાં,, ...જ્યારે મલે ત્યારે મારી પાસે બીચારા ઉભરો કાઢે કે "મારા જીવન માં બીલ્કુલ શાંતી નથી॥મારે જીવવુ નથી"...હુ એમને થોડુ હસાવતી પણ અમારે જુદા તો થાવુ જ પડતુ... એક દિવસ સમાચાર મલ્યા કે એ બેન એ કાંઇક પી લીધુ છે અને કોમા માં છે...કોઇ નહી વીચારી શકો કે મને કેટલુ દુ;ખ થયુ હતુ...હુ એમને જોવા પણ ન ગઈ ॥મારી જિંદગી માં મે થોડા ઉસુલ રાખ્યા છે...કોઇક ગુજરી જાય તો હુ આભડવા જાવ પણ ઉઠ્મણા માં જાવુ હોય તો જ જાવ એમ જ હુ એમને જોવા પણ ન ગઈ...કારણકે હવે ખાલિ ઘરનાં ને સારા દેખાડવા જાવાનુ હતુ॥ મે ઘર માં બેસી ને એમનાં માટે પ્રાર્થનાં કરી કે હે ભગવાન જો એ સાજા થાવાનાં હોય તો ઠીક છે નહી તો એમને લઈ લે॥ બીજા ૩ દિવસ માં સમાચાર આવ્યા કે તેઓ શ્રીજીચરણ પામ્યા છે॥મે એમનાં આત્માં ની શાંતી માટે પ્રાર્થનાં કરી॥ જિંદગી એની ઝડપે ચાલતી હતી ॥પાણ મનમાં અટક્તુ હતુ કે એવુ કયુ દુ;ખ હશે કે એમણે આ પગલુ ભર્યુ॥ભરેલો સુખી પરીવાર હતો॥દીકરા દીકરી બધુ હતુ॥એમનાં ઘરે પણ બાળકો હતા॥પૈસે ટકે સુખી હતા॥કોઇ તકલીફ દેખાતી ન હતી તો તેવુ શુ થયુ હશે ??પણ કોને પુછવુ?વાત એમની સાથે જ ચાલી ગઈ હતી...।મહીનાઓ વીતી ગયા એ વાતને,એકવાર કોઇ હુ બહાર ગઈ ત્યા એમનાં પતિદેવ મલ્યાં,મે પહેલા પણ કોઇ દિવસ એમની સાથે વાત ન કરી હતી ....અને મારી સખી એ( શું કહુ એમને, ત્યારે તો અમારા સંબધ ને કાંઇ નામ નહોતુ નામ વગર નામ નો સંબધ હતો॥ )આત્મહત્યા, કરી ત્યારથી તો હવે કોઇ સવાલ જ ન હતો એમની સાથે વાત કરવાનોં॥તેઓ મલ્યા..મને સામે થી બોલાવીને કહ્યુ કે મલો આ મારા બીજા પત્ની ને... અને મારુ માથુ ફરવા લાગ્યુ..મે કાંઇ પણ જવાબ ન આપ્યો..કાબુ રાખીને ચાલી ગઈ। ૨ કલાક રહીને પાછી ફરી ત્યારે તે ભાઈ પાછા મલ્યા..એમનાં નસીબ ખરાબ કે મારા, મને નથી ખબર..શાક વાળા પાસે મલ્યાં..ભૈયા એ એને પુછ્યુ "માજી કો ક્યા હો ગયા થા' તો કહે ભુલ જા અબ વો માજી કો દેખ મૈ દુસરા ખીલોના લે કે આયા હુ.. અને નીતા બેન નો પીત્તો ગયો.. મે કહ્યુ ભાઈ એમાં રાજી ન થાવ આ બેન નું મોઢુ જુઓ આવા શબ્દો સારા નથી લાગતાં,,,અને જેમણે પોતાનું જીવન ટુકાવ્યુ છે એમની હાઈ તમને છોડશે નહી। .. અને હુ ત્યાંથી ચાલી નીકળી.. હ્રદય ને થોડી શાંતી થઈ કે મારા સખી ને મે આજે સાચ્ચી શ્રધ્ધાજંલી આપી..હવે તમે જ કહો કે અહિયાં ચુપ રહીને ચાલી આવત તો હુ સારી..એક સ્ત્રી ની આટલુ મોટુ અપમાન કેમ ચલાવી લેવાય..ભલે એનાં હિસાબે જ કદાચ મારા સખી એ આત્મહત્યા કરી હશે..પણ મારા થી ચુપ ન રહેવાય..બધા કહે છે કે નીતા તુ પંચાત ન કર..પણ હુ કોઇનાં ઘરે તો નથી જાતી પંચાત કરવા..એવી બહુ બધી વાતો છે કે જેમા હુ ચુપ રહુ છુ..પણ એ હવે છોડી દઈશ..જે થાવુ હોય તે થાય... mail કરવા વાળા ઓ કહે છે કે આ બધુ અમને કહીને તમે તમારી બહાદુરી બતાડવાં માંગો છોં..હુ એમને કહેવા માંગુ છું, મને કોઇ ઇનામ નથી મલવાનું..પણ આ દુનીયામાં બહેનો બહુ બધુ ચુપચાપ સહેન કરે છે..અને હુ એમ કહુ છુ કે ભાઈ લોકો પણ જ્યાં બોલવાનુ હોય ત્યાં નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ચાલુ જ હોય છે... એક બીજાને માન આપો..અને સન્માન આપો..કોઇ કોઇથી ગભરાવ નહી અને કોઇ આપણા થી ગભરાય એવુ ઈછ્છો નહી બસ ફક્ત પ્રેમ આપો કારણકે જે આપશો એ મલસે એ ભગવાનનાં ઘર નો નિયમ છે॥તો મારા બ્લોગ ને કોઇ ખોટી રીતે ન લો..અને હુ શું કહેવા માંગુ છું એ સમજો...plsssssssssss અને જેમને ન ગમે એ ન વાંચો..મને એકે પ્રતિભાવ નહી મલે તો પણ ચાલશે...

લેણાદેણી

આજ કાલ કરતાં રાજેશ ને કોમા માં ગયે ૪ વર્ષ થયા॥ફક્ત એક જ કામ માનવી એ કર્યુ હતુ અને એ કે બસ રાજેશ ને સંભાળવાનું....ઘર ની બહાર જાવાનું જ બંધ કરી દીધુ હતુ॥બધુ જ મનન લઈ આવતો હતો॥અને બસ બે સમય જમવા સિવાય જાણે બીજુ કાંઇ કામ જ ન કરતી હતી॥રાજેશ નો કામવાળો આવ્યો કે નહી।એને ઇન્ફેકશન નથી લાગતુ ને॥ એને કાંઇ તકલીફ ન પડે...
આજે પણ એ રાજેશ નાં પંલગ પાસે બેઠી હતી અને એને જોતી હતી
એને યાદ આવતા હતા એ દિવસો જ્યારે એ લગ્ન ગ્રન્થી જોડાયા હતા .પહેલે જ દિવસે એને અનુભવ થઈ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે॥લગ્ન પત્યા અને બધા ઘરે આવ્યાં હતા। હવે એમણે સુહાગરાત માટે કોઇક હોટેલ માં જાવાનુ હતુ॥ બધા હમણા તો ઘરમાં બેઠા હતા।ત્યાં નણંદ એ આવીને પુછ્યુ કે ભાભી તમે કાંઇ લેશો??તો હુ ખચકાણી હતી કે કેમ કહેવાય કે હા મારી માટે કોફી લઈ આવો...અને જરુરત બહુ જ હતી..પણ નાનપણ થી મમ્મી એ સીખડાવેલ નહી કોઈને કામ કહેવાનો.. એટલે બોલાણુ નહી।રાજેશ દુર બેઠો બેઠો જોતો હતો..મારી નજર એની સામે ગઈ અને એણે નજર થી જ મને કહ્યુ હતુ કે પી લે કાંઇક..મે નજર થી જ ના પાડી..અને આ પ્રેમ નાં નશા એ મને મારી કોફી ની તરસ ભુલાવી દિધી..૧૦ મીનીટ થઈ ત્યાં તો રાજેશ ઉભો થયો અને રસોડા તરફ ગયો,,મને અચરજ થયુ કે આટલા બધા લોકો છે અને એ શું લેવા ગયો।પણ પહેલો દિવસા કાઈ બોલાય તો નહી॥એટલે હુ બધુ ચુપચાપ જોતી હતી॥ ત્યાં મારા નંણદ પણ રસોડા માં ગયા અને રાજેશ ને કહ્યુ "શું જોઈયે છે ભાઈ?" તો રાજેશ એ કહ્યુ કે "કોફી પીવી હતી અને તુ બીજા કામ માં હતી એટલે મે વિચાર્યુ કે ચલ હુ જ બનાવી લઉ।" નંણદ થોડુ હસીને બહાર ચાલ્યાં ગયા,મને કોફી નું નામ સાંભળીને પાછી તડપ ઉપડી ॥પણ પાછી એ તરસ છુપાડવાની જ હતી॥ત્યાં રાજેશ મારી પાસે કોફી નો કપ લઈને આવ્યો કે મને આવડે નહી ને થોડી વધી ગઈ, પી જાઈશ?અને બધા એ એની મસ્તી કરી અમે પી જાશું અમને દઈ દે..અને મેં કપ નીચે મૂકી દીધો..તો રાજેશ કહે નાં આજે તો બધુ ફકત માનવી નું..અને બધા હસી પડ્યાં..મને એમ થાતુ હતુ કે હુ એ કપ કેમ કરીને ઉપાડુ..પણ પાછા નંણદ આવ્યા અને મારા હાથ માં એ કોફી નો કપ પકડાવી ગયાં।અને એ કોફી મને અમ્રુત જેવી લાગી હતી..
૯ વાગવા આવ્યા હતા બધા મલીને અમને હોટેલ માં મુકવા આવ્યા। મને એટલી શરમ આવતી હતી॥પણ ચુપચાપ હુ બધા સાથે હોટેલ માં પહોચી॥માંડ માંડ બધા છુટ્ટા પડ્યા,અને મે હાશ કારો અનુભવ્યો॥મે સૌથી પહેલા રાજેશ ને કહ્યુ કે રાજેશ તારો આભાર હુ કેવી રીતે માનું તને ખબર નથી ,પણ મને ત્યારે કેટલી જરુરત હતી કોફી ની॥રાજેશ એ જવાબ આપ્યો મને ખબર છે હુ તારો ચહેરો વાંચી શકુ છુ માનવી।ને મને એમ થયુ કે પ્રભુ એ મને બધુ જ સુખ આપ્પી દીધુ...અને અમે બન્ને અમારી હુંફ ની અમારી પ્રેમ ની દુનીયા માં ખોવાય ગયા।
અને આજે ૪ વર્ષ થી એવી કેટકેટલી જરુરત પડી પણ રાજેશ સળવળતો પણ નથી॥Dr। એ કહ્યુ કે અમે બધો જ ઇલાજ કરી લીધો છે॥ હવે એ ક્યારેય પણ કોમા માથી બહાર આવી શકે છે॥અને હુ એ જ રાહ જૉઇને બેઠી છુ॥કે ક્યારે આવશે એ દિવસ??
૪ વર્ષ કાંઇ નાનો સમય ન હતો અને આવક વગર...ભર્યા ભંડાર પણ ખુટી જાય॥ અને હવે એ જ દિવસ આવવા લાગ્યો છે
વિચારી જ મને થાય છે કે શું થાશે??માનવી રાજેશ નો હાથ હાથ માં લઈને માનવી એ કહ્યુ તુ મારો ચહેરો વાંચી શક્તો હતો ને ॥જો આજે હવે શું દિવસો આવ્યાં છે કે તારી માનવી એ આજે હવે ક્યાંક માંગવા નીકળવું પડશે॥મદદ લેવી પડ્શે કાંઇક રસ્તો ગોત રાજેશ... અને એ રાતે રાજેશ મ્રુત્યુ પામ્યો॥એણે મારી માટે રસ્તો કાઢી આપ્યો॥પણ મે એને પાછુ આવવા કહ્યુ હતુ॥માંગવુ તો મારે હજી એ પડશે જ ને જિંદગી ચલાવવા.. બધા આશ્વાસન આપતા હતા કે જે થયુ એ હવે શું કરી શકીયે? આમાથી કોઇ આ ૪ વર્ષ માં પુછવા નહોતુ આવ્યુ અને હવે પણ નહી આવે...પણ ચુપ જ રહેવાનું હતુ..હજી મારે કોની લાચારી કરવી પડશે કોને ખબર?? મારા ઘર ની આજુબાજુ માં રહેતા બધા આવતા હતા
મને મલતા હતા..એક બહેન એ અવીને કહ્યુ આ ઘર વેચીને બીજુ નાનુ ઘર લઈ લેવાનુ એટલે જિંદગી ની થોડી તકલીફ દુર થઈ જાય..મને એમનુ એ સુચન ગમ્યુ કે કોઇ પાસે હાથ લંબાવવો એનાં કરતા આ રસ્તો સારો હતો। ૧૩ દિવસ પત્યા એટલે અફસોસ કરવા વાળા વિખેરાવા લાગ્યા,બધાને ચીંતા હતી કે હુ કાંઇક માંગીશ॥ લગભગ ૨૦ દિવસ થઈ ગયા રાજેશ ને ગયા...
અમારા બાજુમાં રહેતા અમારા મરાઠી પાડોશી મને મલવા આવ્યાં। તેઓ મા અને દિકરો જ હતા.. દિકરા નાં લગ્ન થયા ન હતા॥ લગભગ એમની ઉંમર ૫૦ વર્ષ ની હતી.. એમનાં મમ્મી મારી બાજુ માં બેઠા અને કહ્યુ કે "જો દિકરી આ સમયે આ વાત કરવી બરોબર નથી..પણ હુ હિંમત કરીને કહુ છુ..મને ખબર છે કે તે રાજેશ પાછળ જિંદગી ની બધી જ મુડી વાપરી નાંખી છે..અને હવે તારે માંગવાનો વારો આવ્યો છે..હુ એક સુચન કરુ છુ તુ શાંતી થી વિચારજે અને પછી જવાબ આપજે।જો મારા દિકરા નાં હજી લગ્ન થયા નથી અને પ્રભુ એ એટલો પૈસો આપ્યો છે કે જે ખુટે એમ જ નથી।હજી તારો દિકરો નાનો છે એ ક્યારે મોટો થાશે અને ક્યારે કમાશે?તો જો તુ મારા દિકરા સાથે લગ્ન કરી લે તો તમારા બન્ને નું સંભાળાય જાય..મને બહુ મોટો જટકો લાગ્યો કે આ કેવી વાત?પણ મે એમને કાંઇ જવાબ ન આપ્યો..અને તેઓ ચાલ્યા ગયા અને જાવા વખતે કહેતા ગયા હુ પાછી આવીશ પુછવા..
હુ ખુબ રડી રાજેશ નાં ફોટા સામે ઉભી રહીને.. બે દિવસ બીજા વિત્યાં.. સાંજે મનન સ્કુલ માં થી પાછો આવ્યો ત્યારે રડતો આવ્યો અને કહેવા લાગ્યો કે કેમ પણ કરીને બે દિવસ માં સ્કુલ ની ફીસ ભરી જાવ..આખા વર્ષ ની ફીસ એટલે ૭૦૦૦ RS હતા। હવે હુ શું કરુ? સગા ઓ ને ત્યાં ફોન કર્યા કે થાય તો આપો હુ પછી આપી દઈશ..એક સગા એ આપ્યા ખરી પણ કહ્યુ કે તુ પાછી આપી નથી શકવાની, ઘર વેચી નાંખ.. હુ આજે આપીશ,રોજ કોણ આપશે??મને એમની વાત એ વિચાર કરતા મુકી દીધી કે ચલો હુ ઘર વેંચી નાંખુ પણ એ પણ તો થોડા વખત માં પુરા થઈ જાશે પછી??????? અને નસીબ ક્યો કે એ જ દિવસે મરાઠી પાડોશી પાછા આવ્યાં અને મે એમને હા પાડી દીધી..અને બધા ની નારાજગી સાથે મે કશ્યપ સાથે લગ્ન કરી લીધા..
આજે મારી બીજી સુહાગરાત હતી..અને મને એ બધુ પાછુ યાદ આવતુ હતુ..જેવો કશ્યપ રુમ માં આવ્યો અને મારી બાજુ માં બેઠો મને રાજેશ ની યાદ આવી ગઈ અને હું રડી પડી ..કશ્યપ એ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યુ"હુ સમજી શકુ છુ..મે ફક્ત શરીર સુખ માટે આ સંબધ નથી બાંધ્યો..એક બીજાને સંભાળવા માટેનો આ સંબધ છે..ાને હુ ઉપકાર ની નજર થી કશ્યપ ને જોતી રહી..અને કશ્યપ સામે નાં સોફા પર જઈને સુઈ ગયો..
આમને આમ જ ૧૦ દિવસ વીતી ગયા।હજી અમારા વચ્ચે કોઈ સંબધ બંધાણો ન હતો..પણ એનાં મોઢા પર થી જરા પણ ફરિયાદ નાં ભાવ ન હતા.જેવો સમય મલે એટલે એ મનન ને લઈને બહાર ચાલ્યો જાતો..
રાજેશ ની બીમારી ને લીધે મનન એ બહાર ની દુનીયા જૉઇ જ ન હતી.. કશ્યપ નાં મમ્મી એ માનતા માની હતી કુળદેવી નાં દર્શને જાવાનું .એટલે અમારુ બહાર જાવાનું નક્કી થયુ..કેટલા વખતે હુ પણ બહાર નીકળી હતી..મનોમન મે નક્કી કર્યુ કે પાછા ફરીને કશ્યપ ને પોતાની જાત ને સમર્પણ કરી દેવી... કુળદેવી નાં દર્શન કરી ને પાછા વળતા બહુ મોટો અકસ્માત નડતા કશ્યપ નએ એના મમ્મી બન્ને મ્રુત્યુ પામ્યાં. અને હુ પાછી એકલી થઈ ગઈ..ફરક ફક્ત એટલો હતો કે હવે ત્રણ ફોટાને હાર ચડાવવાનો હતો..
બેંક માં થી ફોન આવ્યો કે મેડમ તમે કશ્યપ ભાઈ નું ડેથ સર્ટીફીકેટ આપી જાવ અને તમારુ નામ add કરાવી જાવ.. મન ન હતુ પણ હુ ગઈ બેંક માં ..અને ત્યા જઈને બધા કાગળીયા ની જવાબદારી પુરી કરીને બહાર આવતી હતી ત્યાં બેંક નાં એક ભાઈ આવીને પાસ બુક આપી ગયા..માનવ સ્વભાવ ને લીધે અંદર નજર કરી તો આંખો અચરજ ઠી પહોળી થૈ ગઈ કારણકે એમાં રકમ હતી ૯૯ લાખ..બીજા દિવસે બેંક વાળા પાછા આવ્યાં.અને થોડા સેવીંગ સર્ટિફીકેટ આપી ગયા અને એ બધાની રકમ મલીને હતી ૩ કરોડ રુપીયા.. બેંક મેનેજર એ કહ્યુ તેઓ ૫ દિવસ પહેલા આવ્યા હતા અને બધા માં તમારુ નામ જોઇન્ટ માં કરાવી ગયા..મારુ મગજ કામ નહોતુ કરતુ..કે આ માણસ સાથે કેવી લેણાદેણી ..
હુ રાજેશ ,કશ્યપ અને એનાં મમ્મી ત્રણે નો ફોટો જોતી હતી કે કોઇક તો બચ્યુ હોત ખાલી પૈસા ને પણ શું કરીશ?????????


નીતા કોટેચા

દાંપત્ય જીવન

હે ભગવાન આજે પાછા ઝગડા,ભગવાને બાલ બચ્ચા નથી દીધા બે માણસ એકલા છે તોય ખબર નહી શું કામ આટલુ ઝગડે છે..."વનીતા એ પોતાનાં પતિ અમર ને કહ્યુ॥
"પણ તારે શું છે?આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને શું શું થયુ એમના બન્ને વચ્ચે એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને ત્યાં સુધી શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ રોજનો નીત્ય ક્રમ હતો...ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાંવનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને""અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુપછી રડતા રડતા જ ચાલ્યા ગયા...ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યોવનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતા બેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી ભારતી ગઈ ઘરે"વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતાત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાડજો હં એને, ચલો મુકુ છુ..."ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....હવે રોજ નાં ઝગડા થી એમને ખુશી થાતી હતી....આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...પણ અએમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેન એ અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય નફરત હોય લાગણી હોય કેટલુ હોય ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ કદાચ નિસ્વાર્થ હોતો હશે બીજા કોઈ પણ સંબધ કરતા.બે અજાણ્યા લોકો મલે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..થોડીવાર માં dr.. આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...બહુ જબરો ઝટકો લાગ્યો બધાને કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...આજે વનીતા બેન ભારતી બેન નાંઘરે જ રોકાઈ ગયાં।ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવિને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર િને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યાઆમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........
..........................
નીતા કોટેચા

મોબાઈલ વાળા આંટી

...................................હોસ્પિટલ નાં ખુણા માં બેસીને હુ કંટાળી ગઈ હતી. મારા સાસુ ને આઇ.સી.યુ. માં દાખલ કર્યા હતા. તબીયત પણ સારી હતી..પણ હોસ્પિટલ માં એક જણ એ તો બેસવુ જ પડે..આજે હુ અને મારી દીકરી બેઠા હતા...કરવાનું શું..જે બીમાર હોય એને તો તકલીફ હોય જ, પણ જે બહાર ખાલી ચોકી ભરતુ હોય એ પણ બીમાર પડી જાય..હા સાસુ ની સામે બેસવાનુ હોય ને તોય હજી ચાલે કે વાતો કરતા રહીયે..આ તો બહાર બેસવાનું..આજુબાજુ બધા અજાણ્યા..કોની સાથે વાત કરીયે..પણ આદત થી મજબુર..ગુજરાતી ખરા ને.... ત્યાં તો એક બહેન ના ડુસકા નો અવાજ સંભળાયો...તો મારી અને મારી દીકરી બન્નેની નજર ત્યા ગઈ..એમની સાથે કોઇ ન હતુ..હવે એમને રડવા કેમ દેવાય્ અને જઈને પુછાય પણ કેમ કે શું કામ રડો છો?પછી મને વિચાર આવ્યો કે ચલ પાણી આપવાનાં બહાને જાવ એમની પાસે...પાણી નો ગ્લાસ લઈને એમની પાસે ગઈ અને કહ્યુ"બહેન આ લ્યો પાણી પીવો"..હવે તેમને મારી હુંફ ગમી..જરા શાંત થયા.હુ એમની પાસે જ બેસી ગઈ..મે પુછ્યુ "અહીયાં પુછવુ નક્કામુ છે કે તમે શું કામ રડો છો? એટલે સીધુ જ પુછી લઉ છુ કે કોણ છે અંદર તમારુ?"
બહેન પાછા રડ્યા..પછી શાંત થઈ ને બોલ્યા કે "મારી દીકરી કે જે સાતમાં ધોરણ માં ભણે છે."
મને આઘાત લાગ્યો..મે પુછ્યુ"કેમ શું થયુ છે એને?"
તો કહે"કેન્સર અને છેલ્લા તબક્કામાં"
અને મને એમ લાગ્યુ કે હુ ત્યા જ પડી જાઈશ.મે તરત મારી દીકરી સામે જોયુ...અને મને એમ થયુ કે, હુ સમજી શકુ છુ કે એક મા ની હાલત કેવી હશે આ બોલતા વખતે...
પછી જરા સ્વસ્થ થઈને મે પુછ્યુ કે"શું કહે છે DR.?"
તો એક માતા નાં મુખ મુખ માથી માંડ માંડ શબ્દો બહાર નિકળ્યા કે"બહેન એમનુ કહેવુ છે કે કોઇ પણ શ્વાસ છેલ્લો હશે..અને પાછુ એમનુ એક ડુસકુ નીકળી ગયુ..હવે એમનાં કરતા વધારે પાણી ની જરુરત મને પડી..પણ મારે હવે એમને સંભાળવા નાં હતા..
મે એમને કહ્યુ કે"બહેન તમને બધુ ખબર છે કે એનો કોઇ પણ શ્વાસ છેલ્લો હશે તો તમે આટલા દુર કેમ બેઠા છો એનાથી ?જાવ એની પાસે..એને ગળે વગડાળી ને બેસો...
તો કહે"એ જ તો વાંધો છે ને બહેન... એની પાસે બેસુ છુ તો એ મને કહે છે કે મમ્મી મારી બધી બહેનપણી ઓ ને મારે મળવુ છે. મારે બધા સાથે વાતો કરવી છે।"
તો મે કહ્યુ"એમાં શું વાંધો છે તો કરાવો ને વાત."
તો કહે"બહેન અમારી પાસે મોબાઈલ નથી..અને અમારુ ઘર અહીયા થી બહુ જ દુર છે એટલે હુ અની બહેનપણી ઓ ને અહીયા લઈ પણ નથી આવી શક્તી..મને સમજાતુ નથી હુ શું કરુ?"
અને મને એમ થયુ કે, કેવી મજબુર માતા કે જે મરતી દીકરી ની સાથે પણ નથી રહી શક્તી.કરણકે એની ઇચ્છા પુરી નથી કરી શક્તી..
મે મારી દીકરી સામે જોયુ..મારી દીકરી એ એક શબ્દ બોલ્યા વગર પોતાનો એક દિવસ પહેલા લીધેલો મોબાઇલ મને આપી દીધો અને ત્યાં થી દોડતી અગાશી માં ચાલી ગઈ..મને થયુ, કે એ રડતી હશે..પણ મોબાઈલ માટે નહી, પણ આટલુ દુઃખ એને જોવાનો વારો જ નથી આવ્યો ક્યારેય પણ..એટલે આ દુનીયા ની બીજી બાજુ જોઇને એનાથી સહેન નહી થયુ હોય..
હુ એની પાસે ન ગઈ..મે એ માતા ને કહ્યુ."આ મોબાઇલ તમે રાખો..એને જેટલા ફોન કરવા હોય અને જેટલી વાતો કરવી હોય કરવા દેજો.હુ કાલે આવીશ ત્યારે લઈ લઈશ્.એ માતા ની આંખ ના હર્ષ નાં આંસુ હતા.એને ખુશી હતી કે ભલે દીકરી ને મ્રુત્યુ ભરખી જાવા તૈયાર બેઠુ છે, પણ એ એની છેલ્લી ઇચ્છા પુરી કરી શક્શે..
હાલાત માણસ ને કેવુ કેવુ શીખડાવી દે છે એ જોવા મલતુ હતુ મને આ દ્રશ્ય માં કે, માતા એ વિચારતી હશે કે દીકરી જાવાની તો છે જ, પણ ચાલ જલ્દી એની ઇચ્છા પુરી કરી લઉ..હુ અને મારી દીકરી આઇ.સી.યુ. નાં કાચ માં થી જોતા હતા કે એ માતા અને દીકરી કેટલા ખુશ હતા..હમણા ત્યા મ્રુત્યુ એ ઉભુ હશે તો વિચારતુ હશે કે જ્યાં હુ ઉભો હોવ અને ત્યાં આવી ખુશી મે પહેલી વાર જોઈ..
મારા નણંદ હવે બેસવા આવ્યા હતા..એટલે અમે બન્ને ઘરે જાવા નીકળી ગયા..આખે રસ્તે મારી દીકરી કાંઇ જ ન બોલી..
મે પણ એને જીવન ની કડવી હકીકત ને વિચારવાનો મોકો આપ્યો..હુ પણ કાંઇ જ ન બોલી..
બીજે દિવસે હુ મારા વારા વખતે પાછી હોસ્પિટલ માં પહોચી ગઈ...
ત્યાં જઈને જોયુ તો એ માતા અને દીકરી કોઇ ન હતા..મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ..તોય મે હિંમત રાખીને નર્સ ને પુછ્યુ કે"આ લોકો બીજી હોસ્પિટલ માં ગયા કે શું?
તો એણે જવાબ આપ્યો"ના બહેન, કાલે એ દીકરી રાતનાં મ્રુત્યુ પામી છે..
અને હુ ચુપ થઈ ગઈ..ત્યાં નર્સ આવી અને મને એક કાગળ માં કાંઇક વીટાળેલુ આપી ગઈ..મે ખોલી ને જોયુ તો મારી દીકરી નો મોબાઈલ હતો..અને સાથે એક પત્ર હતો.એમાં લખ્યુ હતુ"બહેન મે તો તમારુ નામ પણ ન પુછ્યુ..જુઓ મારી દીકરી ચાલી ગઇ..અમને મુકીને..પણ બહેન મને સંતોષ છે કે એની છેલ્લી ઇચ્છા હુ તમારે લીધે હુ પુરી કરી શકી.. એક સંતોષી માતા ની તમને એટલી જ આજીજી છે કે આવા કામ તમે હંમેશા કરતા રહેજો..
એ જ દિવસે મારા સાસુ ને પણ રજા આપવા માં આવી..બીજે દિવસે મારા ઘર નું કામ પતાવી ને હુ બહાર જાવ નીકળી એટલે મારા સાસુ એ મને પુછ્યુ કે ક્યાં જાય છે બેટા?
તો મે એમને બધી વાત કરી..મે કહ્યુ" બા આવી કેટલી દીકરી ઓ મારી રાહ જોતી હશે...
બા મારે મોબાઈલ વાળા આંટી તરીકે ઓળખાવુ છે"
અને મારા સાસુ પણ કાંઇ ન બોલ્યા.
આ સત્ય વાત છે..બસ આમાં ફક્ત સત્ય એ નથી કે એ બહેન હવે રોજ બધી હોસ્પિટલ માં જાય છે..હા એમની ઇચ્છા બહુ છે એવુ કરવાની પણ નથી થાતુ એ પણ હકીકત છે અને એ વાત નો એમને ડંખ છે..
આપણે બધા ફક્ત આપણી માટે જ જીવીયે છીયે..અને પાછા કહેતા જાઈયે છીયે કે અમને તો સમય જ નથી મલતો..તો શું ઉપરવાળા એ આપણને ફક્ત પોતાની માટે જ જીવવા મોક્લાવ્યા છે???
વિચારવા જેવી વાત છે..જરુર થી વિચારશો..


નીતા કોટેચા..

હાય આ રાજકરણ

કોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????
ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..
આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.
ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે॥
ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?
મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?
તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"
મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"
પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"
પછી મારો મગજ પરનો કાબુ ગયો..
મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?
તો મને કહે "કેમ વાત બદલાવો છો?"
મે કહ્યુ" જવાબ તો આપો"
તો કહે"સ્વામીનારાયણ"
મે પુછ્યુ"હવે?"
તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે।"
મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?
તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "
મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"
તો કહે"ના"
તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.
તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?
મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"
મે કહ્યુ"ભાઇ જો તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?
ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..
મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?
આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..
કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...
નીતા કોટેચા

હાય આ રાજકરણ

કોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????
ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..
આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.
ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે॥
ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?
મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?
તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"
મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"
પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"
પછી મારો મગજ પરનો કાબુ ગયો..
મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?
તો મને કહે "કેમ વાત બદલાવો છો?"
મે કહ્યુ" જવાબ તો આપો"
તો કહે"સ્વામીનારાયણ"
મે પુછ્યુ"હવે?"
તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે।"
મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?
તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "
મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"
તો કહે"ના"
તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.
તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?
મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"
મે કહ્યુ"ભાઇ જો તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?
ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..
મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?
આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..
કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...
નીતા કોટેચા

બદલાવ ની આશા

અઢી વર્ષ પહેલાની વાત છે. અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતે.વૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવારપડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા .ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય છે. અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે.એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો.આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો.એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા. કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત. આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં.તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં.તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા.અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે. આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…કોઈક બદલાવ ની આશા રાખુ છું…

નીતા કોટેચા

બદલાવ ની આશા

અઢી વર્ષ પહેલાની વાત છે. અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતે. વૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવારપડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા હોત્. ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે. એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો. એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા। કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત. આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં. તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં. તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા. અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે. આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…કોઈક બદલાવ ની આશા રાખુ છું…

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..
વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......
જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...એટલે વધારે પ્રોત્સાહન મલતુ..પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..અને હસીને વાત પુરી કરીયે...હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ....મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ ,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....
જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...
જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...
ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈઅને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...


નીતા કોટેચા

આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..ભલે અલગ નાત છે તો શું થયું?પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈ॥મમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...પછી પૈસા લગાવે...તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેંમાતા પિતા ની મદદ લ્યોં...કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાય॥પણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરી॥અને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું।"..પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ॥"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...પ્રાચી રાજી થઈ ગઈ॥ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો। બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ ॥એમા રહી ગયું..."પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટા॥હવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા॥"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતી॥પણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં।?બીજાં દિવસ ની સવાર થઈ ॥પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે।?પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી ॥હવે શું થયું પાછું???પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયો॥પ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું॥પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો॥સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...પ્રાચી ની જ એક friend। સુનીતા, સુનીલ ને મલી ...એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતી॥અને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું।પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ। આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતા॥અને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...થોડે દુર જઈને સુનીતા અલગ થઈ॥અને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો ॥અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?પણ તેઓ કાંઇ ન બોલ્યાં॥ચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં॥અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેં।પપ્પા પણ શું॥કાંઇ પણ પુછે છેં...ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉ॥આ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....


નીતા કોટેચા

દિવાળી

મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ?? તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને???? તો ચલો મિત્રો, આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...તો ચલોપ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....નીતા કોટેચા તથા પરીવાર તરફ થીબધાને દિવાળી ની ખુબ શુભકામનાઅને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....

નીતા કોટેચા

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...વરજી ઘરે આવ્યા...બધાને પુછ્યુ બધા મજામાં ને?સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...

નીતા કોટેચા


હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...

પરફ્યુમ ની બોટલ...


ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યાતમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..

નીતા કોટેચા