Sunday, June 7, 2009
સ્ત્રીઓની વ્યથા
નવી દિશા
ચુંદડી
મને તો એમની સાથે એટલુ ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભોજાઈ કહે.
અને મને એ સંબધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.
ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં. પણ વધારે પડતુ એ અમારી મજાક મસ્તી થી દુર જ રહેતા અને અમને એ ગમતુ. મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવુ કોઈ મલે તો મને ગમવાનુ જ ને.
મીરા ભાભી પણ વધારે મોટા ન હતા. એ બહુ વાર મને કહેતા કે મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ. હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.
દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણૉ મુડ પારખી લે. અને એમની પાસે બેસીયે એટલે દુઃખ તો ભુલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણૅ વ્યસન થઈ ગયુ હતુ.
હવે એમને બાળક આવવાનુ હતુ . તેઓ એટલા ખુશ હતા કે બસ.ક્યારેક હુ મજાક માં પુછી લેતી ભાભી મને ભુલી નહી જાવને. તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભુલુ." અને આ એ એવૂ લાગણી થી ભરી ને બોલતા કે મારુ મન ભરાઈ આવતુ.
મને એમ થાતુ કે આ જો મારા સગ્ગા ભાભી હોત તો કેટલુ સારુ થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.
હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવુ પડૅ એમ હતુ. અમારા મસ્તી મજાક થી દિવસો પસાર થાતા હતા. એ એમનાં બધા સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.
એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટ્લી ખુશ હતી ને કે હમણા થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનીયા.
ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે. હુ તો સાવ ભાંગી જ પડી. મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ? હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલા બધા સપનાં ઓ લઈને.
DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ. મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફક્ત એટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા. મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.
હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતૉ. આપણૅ કેટલા ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયા હતા.
આ બધી વાતો માટે બધાને મતે હુ ખુબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુઃખ હતુ. એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યા આજે એ મ્રુત અવસ્થા મા સુતા હતા.અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.
ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જાવાની જલ્દી લાગી છે બધાને. નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમમનાં પર.
ભાભી ને સજાવામાં આવ્યા.હવે એમને લઈ જાવા માટે બધા એમની નજીક આવ્યા. અને હુ એમને છેલ્લી વાર ભેંટી ને ખુબ રડી.
હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડૉ બાંધ્યો.મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધુ જોતી હતી.આખરે ભાભી ને લઈ જાવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.
પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે આ બધુ શુ હતુ. દરવાજા પર બાંધવાનુ.તો મમ્મી કહે કે નવીન ભાઈ ને બીજી વાર પરણવાનુ છે એ જાહેર કર્યુ. અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયા.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટૂ થાતુ હતુ.
અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા. એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણૅ મને એમની સાથે ઓણખાણ કરવા બોલવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ, નવીન ભાઈ નાં બીજા પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી. મને મીરા ભાભી યાદ આવી જાતા.
જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા ત્યાર્થી નવીન ભાઈ મારી સાથે નજર મલાવી ને જોતા જ નહી. બપોરનો સમય હતો. હુ મારુ ભણતી હતી.ત્યા અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયા.એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનુ હતુ.એમનુ બાળક.
હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો. અને કહ્યુ "મારી સખી નહી બને?" હુ ટસ ની મસ ન થઈ. તો એમણૅ કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ બાળક ને મોટૉ કેવી રીતે કરત? કોણ કેટલા દિવસ સાચવત. તને ખબર છે, એમણૅ મારી સાથે શર્ત મુકી ને લગ્ન કર્યા છે કે આપણૅ બીજુ બાળક નહી કરીયે."
અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેંટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયા. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.
હવે તો તેઓ કયાં છે એ પણ મને ખબર નથી કારણ નવીન ભાઈ ની કામ માં બદલી થાતી રહે છે . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યુ એણૅ બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવ્તો હતો કે ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તિ છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુઃખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .
લેણાદેણી
આજે પણ એ રાજેશ નાં પંલગ પાસે બેઠી હતી અને એને જોતી હતી
એને યાદ આવતા હતા એ દિવસો જ્યારે એ લગ્ન ગ્રન્થી જોડાયા હતા .પહેલે જ દિવસે એને અનુભવ થઈ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે॥લગ્ન પત્યા અને બધા ઘરે આવ્યાં હતા। હવે એમણે સુહાગરાત માટે કોઇક હોટેલ માં જાવાનુ હતુ॥ બધા હમણા તો ઘરમાં બેઠા હતા।ત્યાં નણંદ એ આવીને પુછ્યુ કે ભાભી તમે કાંઇ લેશો??તો હુ ખચકાણી હતી કે કેમ કહેવાય કે હા મારી માટે કોફી લઈ આવો...અને જરુરત બહુ જ હતી..પણ નાનપણ થી મમ્મી એ સીખડાવેલ નહી કોઈને કામ કહેવાનો.. એટલે બોલાણુ નહી।રાજેશ દુર બેઠો બેઠો જોતો હતો..મારી નજર એની સામે ગઈ અને એણે નજર થી જ મને કહ્યુ હતુ કે પી લે કાંઇક..મે નજર થી જ ના પાડી..અને આ પ્રેમ નાં નશા એ મને મારી કોફી ની તરસ ભુલાવી દિધી..૧૦ મીનીટ થઈ ત્યાં તો રાજેશ ઉભો થયો અને રસોડા તરફ ગયો,,મને અચરજ થયુ કે આટલા બધા લોકો છે અને એ શું લેવા ગયો।પણ પહેલો દિવસા કાઈ બોલાય તો નહી॥એટલે હુ બધુ ચુપચાપ જોતી હતી॥ ત્યાં મારા નંણદ પણ રસોડા માં ગયા અને રાજેશ ને કહ્યુ "શું જોઈયે છે ભાઈ?" તો રાજેશ એ કહ્યુ કે "કોફી પીવી હતી અને તુ બીજા કામ માં હતી એટલે મે વિચાર્યુ કે ચલ હુ જ બનાવી લઉ।" નંણદ થોડુ હસીને બહાર ચાલ્યાં ગયા,મને કોફી નું નામ સાંભળીને પાછી તડપ ઉપડી ॥પણ પાછી એ તરસ છુપાડવાની જ હતી॥ત્યાં રાજેશ મારી પાસે કોફી નો કપ લઈને આવ્યો કે મને આવડે નહી ને થોડી વધી ગઈ, પી જાઈશ?અને બધા એ એની મસ્તી કરી અમે પી જાશું અમને દઈ દે..અને મેં કપ નીચે મૂકી દીધો..તો રાજેશ કહે નાં આજે તો બધુ ફકત માનવી નું..અને બધા હસી પડ્યાં..મને એમ થાતુ હતુ કે હુ એ કપ કેમ કરીને ઉપાડુ..પણ પાછા નંણદ આવ્યા અને મારા હાથ માં એ કોફી નો કપ પકડાવી ગયાં।અને એ કોફી મને અમ્રુત જેવી લાગી હતી..
૯ વાગવા આવ્યા હતા બધા મલીને અમને હોટેલ માં મુકવા આવ્યા। મને એટલી શરમ આવતી હતી॥પણ ચુપચાપ હુ બધા સાથે હોટેલ માં પહોચી॥માંડ માંડ બધા છુટ્ટા પડ્યા,અને મે હાશ કારો અનુભવ્યો॥મે સૌથી પહેલા રાજેશ ને કહ્યુ કે રાજેશ તારો આભાર હુ કેવી રીતે માનું તને ખબર નથી ,પણ મને ત્યારે કેટલી જરુરત હતી કોફી ની॥રાજેશ એ જવાબ આપ્યો મને ખબર છે હુ તારો ચહેરો વાંચી શકુ છુ માનવી।ને મને એમ થયુ કે પ્રભુ એ મને બધુ જ સુખ આપ્પી દીધુ...અને અમે બન્ને અમારી હુંફ ની અમારી પ્રેમ ની દુનીયા માં ખોવાય ગયા।
અને આજે ૪ વર્ષ થી એવી કેટકેટલી જરુરત પડી પણ રાજેશ સળવળતો પણ નથી॥Dr। એ કહ્યુ કે અમે બધો જ ઇલાજ કરી લીધો છે॥ હવે એ ક્યારેય પણ કોમા માથી બહાર આવી શકે છે॥અને હુ એ જ રાહ જૉઇને બેઠી છુ॥કે ક્યારે આવશે એ દિવસ??
૪ વર્ષ કાંઇ નાનો સમય ન હતો અને આવક વગર...ભર્યા ભંડાર પણ ખુટી જાય॥ અને હવે એ જ દિવસ આવવા લાગ્યો છે
વિચારી જ મને થાય છે કે શું થાશે??માનવી રાજેશ નો હાથ હાથ માં લઈને માનવી એ કહ્યુ તુ મારો ચહેરો વાંચી શક્તો હતો ને ॥જો આજે હવે શું દિવસો આવ્યાં છે કે તારી માનવી એ આજે હવે ક્યાંક માંગવા નીકળવું પડશે॥મદદ લેવી પડ્શે કાંઇક રસ્તો ગોત રાજેશ... અને એ રાતે રાજેશ મ્રુત્યુ પામ્યો॥એણે મારી માટે રસ્તો કાઢી આપ્યો॥પણ મે એને પાછુ આવવા કહ્યુ હતુ॥માંગવુ તો મારે હજી એ પડશે જ ને જિંદગી ચલાવવા.. બધા આશ્વાસન આપતા હતા કે જે થયુ એ હવે શું કરી શકીયે? આમાથી કોઇ આ ૪ વર્ષ માં પુછવા નહોતુ આવ્યુ અને હવે પણ નહી આવે...પણ ચુપ જ રહેવાનું હતુ..હજી મારે કોની લાચારી કરવી પડશે કોને ખબર?? મારા ઘર ની આજુબાજુ માં રહેતા બધા આવતા હતા
મને મલતા હતા..એક બહેન એ અવીને કહ્યુ આ ઘર વેચીને બીજુ નાનુ ઘર લઈ લેવાનુ એટલે જિંદગી ની થોડી તકલીફ દુર થઈ જાય..મને એમનુ એ સુચન ગમ્યુ કે કોઇ પાસે હાથ લંબાવવો એનાં કરતા આ રસ્તો સારો હતો। ૧૩ દિવસ પત્યા એટલે અફસોસ કરવા વાળા વિખેરાવા લાગ્યા,બધાને ચીંતા હતી કે હુ કાંઇક માંગીશ॥ લગભગ ૨૦ દિવસ થઈ ગયા રાજેશ ને ગયા...
અમારા બાજુમાં રહેતા અમારા મરાઠી પાડોશી મને મલવા આવ્યાં। તેઓ મા અને દિકરો જ હતા.. દિકરા નાં લગ્ન થયા ન હતા॥ લગભગ એમની ઉંમર ૫૦ વર્ષ ની હતી.. એમનાં મમ્મી મારી બાજુ માં બેઠા અને કહ્યુ કે "જો દિકરી આ સમયે આ વાત કરવી બરોબર નથી..પણ હુ હિંમત કરીને કહુ છુ..મને ખબર છે કે તે રાજેશ પાછળ જિંદગી ની બધી જ મુડી વાપરી નાંખી છે..અને હવે તારે માંગવાનો વારો આવ્યો છે..હુ એક સુચન કરુ છુ તુ શાંતી થી વિચારજે અને પછી જવાબ આપજે।જો મારા દિકરા નાં હજી લગ્ન થયા નથી અને પ્રભુ એ એટલો પૈસો આપ્યો છે કે જે ખુટે એમ જ નથી।હજી તારો દિકરો નાનો છે એ ક્યારે મોટો થાશે અને ક્યારે કમાશે?તો જો તુ મારા દિકરા સાથે લગ્ન કરી લે તો તમારા બન્ને નું સંભાળાય જાય..મને બહુ મોટો જટકો લાગ્યો કે આ કેવી વાત?પણ મે એમને કાંઇ જવાબ ન આપ્યો..અને તેઓ ચાલ્યા ગયા અને જાવા વખતે કહેતા ગયા હુ પાછી આવીશ પુછવા..
હુ ખુબ રડી રાજેશ નાં ફોટા સામે ઉભી રહીને.. બે દિવસ બીજા વિત્યાં.. સાંજે મનન સ્કુલ માં થી પાછો આવ્યો ત્યારે રડતો આવ્યો અને કહેવા લાગ્યો કે કેમ પણ કરીને બે દિવસ માં સ્કુલ ની ફીસ ભરી જાવ..આખા વર્ષ ની ફીસ એટલે ૭૦૦૦ RS હતા। હવે હુ શું કરુ? સગા ઓ ને ત્યાં ફોન કર્યા કે થાય તો આપો હુ પછી આપી દઈશ..એક સગા એ આપ્યા ખરી પણ કહ્યુ કે તુ પાછી આપી નથી શકવાની, ઘર વેચી નાંખ.. હુ આજે આપીશ,રોજ કોણ આપશે??મને એમની વાત એ વિચાર કરતા મુકી દીધી કે ચલો હુ ઘર વેંચી નાંખુ પણ એ પણ તો થોડા વખત માં પુરા થઈ જાશે પછી??????? અને નસીબ ક્યો કે એ જ દિવસે મરાઠી પાડોશી પાછા આવ્યાં અને મે એમને હા પાડી દીધી..અને બધા ની નારાજગી સાથે મે કશ્યપ સાથે લગ્ન કરી લીધા..
આજે મારી બીજી સુહાગરાત હતી..અને મને એ બધુ પાછુ યાદ આવતુ હતુ..જેવો કશ્યપ રુમ માં આવ્યો અને મારી બાજુ માં બેઠો મને રાજેશ ની યાદ આવી ગઈ અને હું રડી પડી ..કશ્યપ એ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યુ"હુ સમજી શકુ છુ..મે ફક્ત શરીર સુખ માટે આ સંબધ નથી બાંધ્યો..એક બીજાને સંભાળવા માટેનો આ સંબધ છે..ાને હુ ઉપકાર ની નજર થી કશ્યપ ને જોતી રહી..અને કશ્યપ સામે નાં સોફા પર જઈને સુઈ ગયો..
આમને આમ જ ૧૦ દિવસ વીતી ગયા।હજી અમારા વચ્ચે કોઈ સંબધ બંધાણો ન હતો..પણ એનાં મોઢા પર થી જરા પણ ફરિયાદ નાં ભાવ ન હતા.જેવો સમય મલે એટલે એ મનન ને લઈને બહાર ચાલ્યો જાતો..
રાજેશ ની બીમારી ને લીધે મનન એ બહાર ની દુનીયા જૉઇ જ ન હતી.. કશ્યપ નાં મમ્મી એ માનતા માની હતી કુળદેવી નાં દર્શને જાવાનું .એટલે અમારુ બહાર જાવાનું નક્કી થયુ..કેટલા વખતે હુ પણ બહાર નીકળી હતી..મનોમન મે નક્કી કર્યુ કે પાછા ફરીને કશ્યપ ને પોતાની જાત ને સમર્પણ કરી દેવી... કુળદેવી નાં દર્શન કરી ને પાછા વળતા બહુ મોટો અકસ્માત નડતા કશ્યપ નએ એના મમ્મી બન્ને મ્રુત્યુ પામ્યાં. અને હુ પાછી એકલી થઈ ગઈ..ફરક ફક્ત એટલો હતો કે હવે ત્રણ ફોટાને હાર ચડાવવાનો હતો..
બેંક માં થી ફોન આવ્યો કે મેડમ તમે કશ્યપ ભાઈ નું ડેથ સર્ટીફીકેટ આપી જાવ અને તમારુ નામ add કરાવી જાવ.. મન ન હતુ પણ હુ ગઈ બેંક માં ..અને ત્યા જઈને બધા કાગળીયા ની જવાબદારી પુરી કરીને બહાર આવતી હતી ત્યાં બેંક નાં એક ભાઈ આવીને પાસ બુક આપી ગયા..માનવ સ્વભાવ ને લીધે અંદર નજર કરી તો આંખો અચરજ ઠી પહોળી થૈ ગઈ કારણકે એમાં રકમ હતી ૯૯ લાખ..બીજા દિવસે બેંક વાળા પાછા આવ્યાં.અને થોડા સેવીંગ સર્ટિફીકેટ આપી ગયા અને એ બધાની રકમ મલીને હતી ૩ કરોડ રુપીયા.. બેંક મેનેજર એ કહ્યુ તેઓ ૫ દિવસ પહેલા આવ્યા હતા અને બધા માં તમારુ નામ જોઇન્ટ માં કરાવી ગયા..મારુ મગજ કામ નહોતુ કરતુ..કે આ માણસ સાથે કેવી લેણાદેણી ..
હુ રાજેશ ,કશ્યપ અને એનાં મમ્મી ત્રણે નો ફોટો જોતી હતી કે કોઇક તો બચ્યુ હોત ખાલી પૈસા ને પણ શું કરીશ?????????
નીતા કોટેચા
દાંપત્ય જીવન
"પણ તારે શું છે?આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને શું શું થયુ એમના બન્ને વચ્ચે એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને ત્યાં સુધી શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ રોજનો નીત્ય ક્રમ હતો...ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાંવનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને""અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુપછી રડતા રડતા જ ચાલ્યા ગયા...ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યોવનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતા બેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી ભારતી ગઈ ઘરે"વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતાત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાડજો હં એને, ચલો મુકુ છુ..."ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....હવે રોજ નાં ઝગડા થી એમને ખુશી થાતી હતી....આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...પણ અએમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેન એ અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય નફરત હોય લાગણી હોય કેટલુ હોય ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ કદાચ નિસ્વાર્થ હોતો હશે બીજા કોઈ પણ સંબધ કરતા.બે અજાણ્યા લોકો મલે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..થોડીવાર માં dr.. આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...બહુ જબરો ઝટકો લાગ્યો બધાને કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...આજે વનીતા બેન ભારતી બેન નાંઘરે જ રોકાઈ ગયાં।ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવિને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર િને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યાઆમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........
..........................
નીતા કોટેચા
મોબાઈલ વાળા આંટી
બહેન પાછા રડ્યા..પછી શાંત થઈ ને બોલ્યા કે "મારી દીકરી કે જે સાતમાં ધોરણ માં ભણે છે."
મને આઘાત લાગ્યો..મે પુછ્યુ"કેમ શું થયુ છે એને?"
તો કહે"કેન્સર અને છેલ્લા તબક્કામાં"
અને મને એમ લાગ્યુ કે હુ ત્યા જ પડી જાઈશ.મે તરત મારી દીકરી સામે જોયુ...અને મને એમ થયુ કે, હુ સમજી શકુ છુ કે એક મા ની હાલત કેવી હશે આ બોલતા વખતે...
પછી જરા સ્વસ્થ થઈને મે પુછ્યુ કે"શું કહે છે DR.?"
તો એક માતા નાં મુખ મુખ માથી માંડ માંડ શબ્દો બહાર નિકળ્યા કે"બહેન એમનુ કહેવુ છે કે કોઇ પણ શ્વાસ છેલ્લો હશે..અને પાછુ એમનુ એક ડુસકુ નીકળી ગયુ..હવે એમનાં કરતા વધારે પાણી ની જરુરત મને પડી..પણ મારે હવે એમને સંભાળવા નાં હતા..
મે એમને કહ્યુ કે"બહેન તમને બધુ ખબર છે કે એનો કોઇ પણ શ્વાસ છેલ્લો હશે તો તમે આટલા દુર કેમ બેઠા છો એનાથી ?જાવ એની પાસે..એને ગળે વગડાળી ને બેસો...
તો કહે"એ જ તો વાંધો છે ને બહેન... એની પાસે બેસુ છુ તો એ મને કહે છે કે મમ્મી મારી બધી બહેનપણી ઓ ને મારે મળવુ છે. મારે બધા સાથે વાતો કરવી છે।"
તો મે કહ્યુ"એમાં શું વાંધો છે તો કરાવો ને વાત."
તો કહે"બહેન અમારી પાસે મોબાઈલ નથી..અને અમારુ ઘર અહીયા થી બહુ જ દુર છે એટલે હુ અની બહેનપણી ઓ ને અહીયા લઈ પણ નથી આવી શક્તી..મને સમજાતુ નથી હુ શું કરુ?"
અને મને એમ થયુ કે, કેવી મજબુર માતા કે જે મરતી દીકરી ની સાથે પણ નથી રહી શક્તી.કરણકે એની ઇચ્છા પુરી નથી કરી શક્તી..
મે મારી દીકરી સામે જોયુ..મારી દીકરી એ એક શબ્દ બોલ્યા વગર પોતાનો એક દિવસ પહેલા લીધેલો મોબાઇલ મને આપી દીધો અને ત્યાં થી દોડતી અગાશી માં ચાલી ગઈ..મને થયુ, કે એ રડતી હશે..પણ મોબાઈલ માટે નહી, પણ આટલુ દુઃખ એને જોવાનો વારો જ નથી આવ્યો ક્યારેય પણ..એટલે આ દુનીયા ની બીજી બાજુ જોઇને એનાથી સહેન નહી થયુ હોય..
હુ એની પાસે ન ગઈ..મે એ માતા ને કહ્યુ."આ મોબાઇલ તમે રાખો..એને જેટલા ફોન કરવા હોય અને જેટલી વાતો કરવી હોય કરવા દેજો.હુ કાલે આવીશ ત્યારે લઈ લઈશ્.એ માતા ની આંખ ના હર્ષ નાં આંસુ હતા.એને ખુશી હતી કે ભલે દીકરી ને મ્રુત્યુ ભરખી જાવા તૈયાર બેઠુ છે, પણ એ એની છેલ્લી ઇચ્છા પુરી કરી શક્શે..
હાલાત માણસ ને કેવુ કેવુ શીખડાવી દે છે એ જોવા મલતુ હતુ મને આ દ્રશ્ય માં કે, માતા એ વિચારતી હશે કે દીકરી જાવાની તો છે જ, પણ ચાલ જલ્દી એની ઇચ્છા પુરી કરી લઉ..હુ અને મારી દીકરી આઇ.સી.યુ. નાં કાચ માં થી જોતા હતા કે એ માતા અને દીકરી કેટલા ખુશ હતા..હમણા ત્યા મ્રુત્યુ એ ઉભુ હશે તો વિચારતુ હશે કે જ્યાં હુ ઉભો હોવ અને ત્યાં આવી ખુશી મે પહેલી વાર જોઈ..
મારા નણંદ હવે બેસવા આવ્યા હતા..એટલે અમે બન્ને ઘરે જાવા નીકળી ગયા..આખે રસ્તે મારી દીકરી કાંઇ જ ન બોલી..
મે પણ એને જીવન ની કડવી હકીકત ને વિચારવાનો મોકો આપ્યો..હુ પણ કાંઇ જ ન બોલી..
બીજે દિવસે હુ મારા વારા વખતે પાછી હોસ્પિટલ માં પહોચી ગઈ...
ત્યાં જઈને જોયુ તો એ માતા અને દીકરી કોઇ ન હતા..મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ..તોય મે હિંમત રાખીને નર્સ ને પુછ્યુ કે"આ લોકો બીજી હોસ્પિટલ માં ગયા કે શું?
તો એણે જવાબ આપ્યો"ના બહેન, કાલે એ દીકરી રાતનાં મ્રુત્યુ પામી છે..
અને હુ ચુપ થઈ ગઈ..ત્યાં નર્સ આવી અને મને એક કાગળ માં કાંઇક વીટાળેલુ આપી ગઈ..મે ખોલી ને જોયુ તો મારી દીકરી નો મોબાઈલ હતો..અને સાથે એક પત્ર હતો.એમાં લખ્યુ હતુ"બહેન મે તો તમારુ નામ પણ ન પુછ્યુ..જુઓ મારી દીકરી ચાલી ગઇ..અમને મુકીને..પણ બહેન મને સંતોષ છે કે એની છેલ્લી ઇચ્છા હુ તમારે લીધે હુ પુરી કરી શકી.. એક સંતોષી માતા ની તમને એટલી જ આજીજી છે કે આવા કામ તમે હંમેશા કરતા રહેજો..
એ જ દિવસે મારા સાસુ ને પણ રજા આપવા માં આવી..બીજે દિવસે મારા ઘર નું કામ પતાવી ને હુ બહાર જાવ નીકળી એટલે મારા સાસુ એ મને પુછ્યુ કે ક્યાં જાય છે બેટા?
તો મે એમને બધી વાત કરી..મે કહ્યુ" બા આવી કેટલી દીકરી ઓ મારી રાહ જોતી હશે...
બા મારે મોબાઈલ વાળા આંટી તરીકે ઓળખાવુ છે"
અને મારા સાસુ પણ કાંઇ ન બોલ્યા.
આ સત્ય વાત છે..બસ આમાં ફક્ત સત્ય એ નથી કે એ બહેન હવે રોજ બધી હોસ્પિટલ માં જાય છે..હા એમની ઇચ્છા બહુ છે એવુ કરવાની પણ નથી થાતુ એ પણ હકીકત છે અને એ વાત નો એમને ડંખ છે..
આપણે બધા ફક્ત આપણી માટે જ જીવીયે છીયે..અને પાછા કહેતા જાઈયે છીયે કે અમને તો સમય જ નથી મલતો..તો શું ઉપરવાળા એ આપણને ફક્ત પોતાની માટે જ જીવવા મોક્લાવ્યા છે???
વિચારવા જેવી વાત છે..જરુર થી વિચારશો..
નીતા કોટેચા..
હાય આ રાજકરણ
ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..
આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.
ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે॥
ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?
મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?
તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"
મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"
પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"
પછી મારો મગજ પરનો કાબુ ગયો..
મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?
તો મને કહે "કેમ વાત બદલાવો છો?"
મે કહ્યુ" જવાબ તો આપો"
તો કહે"સ્વામીનારાયણ"
મે પુછ્યુ"હવે?"
તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે।"
મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?
તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "
મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"
તો કહે"ના"
તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.
તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?
મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"
મે કહ્યુ"ભાઇ જો તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?
ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..
મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?
આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..
કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...
નીતા કોટેચા
હાય આ રાજકરણ
ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..
આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.
ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે॥
ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?
મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?
તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"
મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"
પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"
પછી મારો મગજ પરનો કાબુ ગયો..
મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?
તો મને કહે "કેમ વાત બદલાવો છો?"
મે કહ્યુ" જવાબ તો આપો"
તો કહે"સ્વામીનારાયણ"
મે પુછ્યુ"હવે?"
તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે।"
મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?
તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "
મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"
તો કહે"ના"
તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.
તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?
મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"
મે કહ્યુ"ભાઇ જો તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?
ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..
મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?
આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..
કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...
નીતા કોટેચા
બદલાવ ની આશા
નીતા કોટેચા
બદલાવ ની આશા
મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...
આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..
વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......
જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...એટલે વધારે પ્રોત્સાહન મલતુ..પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..અને હસીને વાત પુરી કરીયે...હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ....મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ ,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....
જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...
જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...
ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈઅને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
નીતા કોટેચા
નીતા કોટેચા
દિવાળી
નીતા કોટેચા
e -otlo
મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...વરજી ઘરે આવ્યા...બધાને પુછ્યુ બધા મજામાં ને?સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...
નીતા કોટેચા
હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...
પરફ્યુમ ની બોટલ...
ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યાતમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા